Ekam-14 || Aapti vyavasthapam nu Svadhayaay solution
સા. વિ || ધો 8 એકમ-14 ||આપત્તિ-વ્યવસ્થાપન
S.S || STD 8|| Ekam-14 || Aapti vyavasthapam nu Svadhayaay solution
[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો.
(1) કુદરતી આપત્તિ કોને કહેવાય?
A. જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોઈ તે આપત્તિ કુદરતી આપતી કહેવાય છે.
(2) આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ-કઈ છે?
A. પૂર, ત્સુનામી, તીડનો પ્રકોપ, વાવાઝોડું, મહામારી વગેરે આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે.
(3) આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ-કઈ છે?
A. ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ અને ભૂસ્ખલન આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે.
(4) માનવસર્જિત આપત્તિ કઈ-કઈ છે?
A. આગ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ અને ઔધોગિક અકસ્માત માનવસર્જિત આપત્તિ છે.
(5) દાવાનળ કોને કહેવાય?
A. જંગલ ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે.
(6) ભૂસ્ખલનની ઘટનાઓ કયાં ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે?
A. ભૂસ્ખલનની ઘટનાઓ પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે.
(7) મહામારીની પરિસ્થિતિ એટલે શું?
A. ખુબ વ્યાપક વિસ્તારમાં હજારો લોકો વિષાણુંજન્ય રોગનો ભોગ બને ત્યારે તે પરીસ્થીતીને મહામારી કહે છે.
[Q - 2]. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) દાવાનળ કયા-કયા સંજોગોમાં ફાટી નીકળે છે?
A. જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે.
– આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધવા લાગે છે. વળી જંગલનાં સૂકાં ઘાસ-પાંદડાં તેને વધુ વિસ્તારમાં પસરાવે છે.
– કેટલાંક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર આ દાવાનળ માટે કેટલીક વાર માનવપ્રવૃત્તિ જવાબદાર છે.
– જેમકે સળગતી બીડી કે સિગારેટનું બુઝાવ્યા વિના ફેંકવું, પશુ ચરાવનારાઓએ કામચલાઉ બનાવેલ ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના જતા રહેવું.
– જંગલમાંથી પસાર થતી વીજળી કે ગૅસની લાઇનમાં અકસ્માત થતાં, જંગલના વિસ્તારોમાં પર્યટકો કે યાત્રિકોની બેદરકારી વગેરે જેવા સંજોગો આ દાવાનળ માટે કારણભૂત હોય છે.
કુદરતી રીતે આકાશી વીજળી પડવાથી પણ દાવાનળ ફેલાઈ શકે છે.
(2) તીડ-પ્રકોપ વિશે ટૂંક નોંધ લખો.
A. – તીડ એક પ્રકારના કીટક છે. એક અંદાજ મુજબ વિશ્વમાં અંદાજિત તેની લગભગ 11,000 જેટલી પ્રજાતિ જોવા મળે છે.
– તે ઝૂંડમાં રહેવાનું પસંદ કરે છે. તેના એક ઝૂંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે. સામાન્ય રીતે તે રણ-વિસ્તારમાં જોવા મળે છે. તે દોઢથી બે ઇંચ લંબાઈ ધરાવે છે.
– ઊડવા માટે પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે. તેના આગળના બે પગ પાછળના પગની તુલનામાં લાંબા હોય છે.
– માથા પર ઍન્ટેના જેવા બે વાળ હોય છે. તે બેથી અઢી ફૂટનો કૂદકો મારી શકે છે. તે પવનની દિશામાં આગળ વધતાં જતાં હોય છે.
– ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે તીડ ડિઝર્ટ લોટ્સ છે. આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક દેશોમાં જોવા મળે છે.
– તે પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે તે ખાઉધરાં તીડ તરીકે પણ ઓળખ ધરાવે કરે છે અને રાત્રિ દરમિયાન તે કોઈ જગ્યાએ રાતવાસો કરે છે.
– તે લીમડા સિવાય લગભગ તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે. તેથી જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે ત્યાં ખેતીપાકો અને અન્ય વનસ્પતિનો સફાયો કરે છે.
– જો બાગાયતી ખેતીના વિસ્તારોમાં તીડ ત્રાટકે તો કેરી, લીંબુ, ખારેક, દાડમ, જામફળ, આંબળા જેવા પાકના બગીચા જે વર્ષોની મહેનતથી તૈયાર કર્યા હોય તેને ભારે ક્ષતિ પહોંચાડે છે. ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડે છે.
– ઘણાં વર્ષો પહેલાં જ્યારે તીડના ઉપદ્રવથી ખેતીપાક સંપૂર્ણ નષ્ટ થતાં દુકાળની પરિસ્થિતિ સર્જાતી. જોકે હાલ આવું બને તો અન્ય પ્રદેશોમાંથી અનાજ પહોંચાડી ભૂખમરો અટકાવી શકાય છે.
– તીડને ભગાડવા લોકો ઢોલ-નગારાં કે મોટા અવાજો કરી તેને ખેતરમાં ઊતરતાં અટકાવવા પ્રયાસો કરે છે. જોકે આવા પ્રયાસો પૂરતા નથી.
– હાલમાં તીડનાં ટોળાંની પ્રવાસની દિશા અને તેના સંભવિત પ્રભાવી વિસ્તારોને સાવચેત કરવા સરકાર દ્વારા ખાસ પગલાં ભરવામાં આવે છે.
– જ્યાં તીડનાં ઉપદ્રવવાળા કે તેની વકી હોય તેવા વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ-નિયંત્રક દવાઓનો છંટકાવ કરી તેનાથી થનારા નુકસાનને ઘટાડી શકાય છે.
– ગુજરાત અને રાજસ્થાન ભારતમાં તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો છે. ગુજરાતના કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા જિલ્લામાં છેલ્લાં થોડાં વર્ષોમાં તીડ-આક્રમણની ઘટનાઓ નોંધાઈ છે.
(3) મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો.
A. – ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે.
– સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે. એમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવે છે.
– ઈબોલા, સ્વાઇન ફલૂ, ડેગ્યુ, કોરોના જેવા રોગો વિશ્વમાં લાખો લોકોને પોતાના શિકાર બનાવી ચૂક્યા છે.
– પ્રાચીન સમયમાં આધુનિક ઉપચાર અને અદ્યતન દવાઓ–રોગપ્રતિકારક રસીઓના અભાવમાં લોકો પ્લેગ-શીતળા જેવી ઘાતક બીમારીથી જીવ ગુમાવતા હતા પણ આજે તેનો સફળ ઉપચાર કરી લોકોને બચાવી શકાય છે.
– નવા-નવા વિષાણુઓના સંક્રમણથી થતા રોગોની સારવારમાં ઉપલબ્ધ દવાઓ કારગત નથી નીવડતી ત્યારે તે ટૂંક સમયમાં વિશ્વભરમાં ફેલાઈને અનેક લોકોને ભરડામાં લઈ લે છે.
– તેનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી મોટી હોય છે. તેની મહામારીની સ્થિતિ ખાસ રોગપ્રતિકારક રસી સારવાર માટેની દવાઓ શોધાય ત્યાં લગી તે નિરંકુશ રીતે તે રોગો લોકોને પોતાના શિકાર બનાવે છે.
– આવા અજ્ઞાત વિષાણુજન્ય રોગોનાં ભયનું જોખમ માનવજાતિ સામે સતત તોળાતું રહે છે. તે વાસ્તવિકતા ભૂલવી ના જોઈએ.
– આવા રોગોનો પ્રકોપ થાય અને તેનો ઉપચાર ઉપલબ્ધ ના હોય ત્યારે તેનો ચેપ અન્યત્ર ના ફેલાય તે માટે લોકડાઉન, જેને ચેપ લાગ્યો હોય તેને ક્વૉરેન્ટિન (Quarantine) કરવા જેવાં પગલાંનો ચુસ્ત અમલ કરાવવો પડે છે.
– તેનાથી દેશની આર્થિક પ્રગતિ, શૈક્ષણિક કામગીરી પર ભારે નકારાત્મક અસરો પડે છે તેની અસરોમાંથી પૂર્વવત થતાં વર્ષો લાગી જાય છે.
– ઈ.સ. 2019-20ની સાલમાં કોરોનાના પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વમાં મુશ્કેલી અનુભવી છે.
– મહામારીમાં વ્યાપેલા રોગની રોગપ્રતિકારક રસીઓ શોધાઈ ના હોય તેને ફેલાતો અટકાવવા લોકડાઉન, પ્રવાસ પર પ્રતિબંધ, બહારથી આવતા નાગરિકોને કવૉરેન્ટિન જેવાં સખત પગલાં લેવાં પડે છે.
– લોકોની રોજબરોજની જિંદગી ખોરવાઈ જાય છે. શિક્ષણ, વેપાર, ઉત્પાદન જેવી પ્રક્રિયા ઠપ થતાં ભારે અરાજકતાનો માહોલ બને છે. રોજેરોજનું કમાઈને ખાનાર લાખો લોકોની મુશ્કેલીઓનો પાર નથી રહેતો.
– તંત્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધાત્મક આદેશો હોવા છતાં લોકો જાગૃત્તિના અભાવે રોગનો ભોગ બને છે. દવાખાનાં ઊભરાય છે. દુનિયાના સંપન્ન દેશો પણ લાચાર બની જાય છે.
– કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થાય છે અને હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટે છે.
– સદીઓ પૂર્વે કૉલેરા, પ્લેગ અને મલેરિયાની રોગપ્રતિકારક રસીઓ દવાઓ નહોતી શોધાઈ ત્યારે દુનિયાભરમાં આ રોગોથી કરોડો લોકો માર્યા ગયા હતા.
– એક તબક્કે આવી મહામારીથી દુનિયાની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો હતો. મહામારીની પરિસ્થિતિમાં લોકોને બચાવવાના ઉપાયો અને રાખવાની સાવચેતીથી પ્રચાર-પ્રસાર કરી માહિતગાર કરવા જોઈએ.
– સંક્રમિત લોકો માટે અલાયદા વૉર્ડ કે હૉસ્પિટલોની વ્યવસ્થા કરવાથી રોગ ફેલાતો અટકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા આવા સંજોગોમાં ખાસ માર્ગદર્શન પૂરું પાડે છે. તે અનુસાર અમલીકરણ અનિવાર્યપણે કરવું જોઈએ.
– બહારથી આવતા લોકોને પૂરતી દાક્તરી તપાસ કરીને પ્રવેશવા દેવા કે જરૂરી જણાય તો ક્વૉરેન્ટિન કરવા જોઈએ. માનવની પ્રગતિની સાથે-સાથે નવા વાઇરસ જન્ય રોગો પણ આવતા રહ્યા છે અને જ્યાં લગી તેની રોગપ્રતિકારક રસી ના શોધાય ત્યાં લગી સમગ્ર વિશ્વ તેની સામે લાચાર બની રહે છે.
(4) ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગતો આપો.
A. ક્યારેક માનવીય ભૂલ કે યંત્રોની સારસંભાળના અભાવે યાંત્રિક ખરાબીથી અકસ્માતો થાય છે.
– જંતુનાશકો બનાવતાં કારખાનામાંથી ઝેરી વાયુનું ગળતર થાય છે.
– ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થાય છે.
– રિફાઇનરી પ્લાસ્ટિક જેવી સળગી ઊઠે એવી સામગ્રી બનાવતાં કારખાનાંમાં આગ લાગવી.
– રિફાઇનરીઓમાં વિસ્ફોટ કે આગ લાગવી.
– રસાયણો બનાવતાં કારખાનામાં પ્રક્રિયા દરમિયાન આગ કે વિસ્ફોટક થવા.
– પરમાણુ ઊર્જા વગેરે ઉદ્યોગોમાં થતાં અકસ્માતોથી કામ કરતા કામદારો ઉપરાંત આજુબાજુ રહેતા નાગરિકો પણ પોતાનો જાન ગુમાવે કે કાયમી વિકલાંગતાનો ભોગ બને છે.
(5) આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો.
A. આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે:
– આપત્તિને લીધે સ્થાવર કે જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે. એ મિલકતોનું નવેસરથી બાંધકામ કરવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, તેથી વિકાસનાં ચાલુ કામો બંધ કરવાં પડે છે.
– નિર્દોષ બાળકો અને સ્ત્રી-પુરુષોનું અકાળે અવસાન થાય છે. અનાથ બનેલાં બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે. તેઓની સારસંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે.
– આપત્તિમાં કાયમી વિકલાંગ બનનાર વ્યક્તિઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે. તેઓને માનસિક યાતનામાંથી બહાર લાવી, તેમનું પુનર્વસન કરવાનું કામ ભારે પડકારજનક બને છે.
જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ ભારે કફોડી બને છે.
[Q - 3]. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો.
(1) નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવસર્જિત આપત્તિમાં થતો નથી?
(A) આગ
(B) ઔદ્યોગિક અકસ્માત
(C) હુલ્લડ
(D) [✓] મહામારી
(2) નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવસર્જિત આપત્તિ છે?
(A) ભૂકંપ
(B) દાવાનળ
(C) [✓] ઔદ્યોગિક અકસ્માત
(D) સુનામી
(3) ગુજરાતમાં સાપુતારા (ડાંગ) માં આવી જવલ્લે જ ઘટનાઓ બને છે?
(A) ઔદ્યોગિક અકસ્માત
(B) [✓] ભૂસ્ખલન
(C) તીડ-પ્રકોપ
(D) સુનામી
Leave a Comment